5 Feb 2026

Gyansadhna Scholarship Exam 2026 |

Gyansadhna Scholarship Exam 2026 |

જે વિદ્યાર્થીઓ 8 મા ધોરણમાં અભ્યાસ કરતા હોય એમના માટે જ્ઞાનસાધના સ્કૉલરશીપ પરીક્ષાની જાહેરાત આવી ગઈ છે.પરીક્ષા આપવાનો કોઈ ચાર્જ નથી , ઓનલાઇન ફોર્મ ભરવાની કોઈ ફી નથી, જો મેરીટમાં આવી જાય તો એમને ધોરણ 9 થી 12 ના ચાર વર્ષમાં કુલ 94,000 રૂપિયાની સ્કોલરશીપ મળે છે. એ પણ સીધા વિદ્યાર્થીના બેન્ક ખાતામાં

  • ફોર્મ ભરવા : 05-2-2026 થી 16-2-2026 
  • પરીક્ષા તા . 04-04-2026 
  • વધુ માહિતી માટે મારી યુટ્યુબ ચેનલ પર વીડિયો જોઈ શકો છો . 
  • આ પરીક્ષાની તૈયારી માટે બુક વસાવવા માંગતા હોય તો નીચે બે પ્રકાશનની બુક લિંક આપેલ છે, ઓનલાઈન ઓર્ડર કરીને મંગાવી શકો છો . 
  1. લિબર્ટી પ્રકાશન બુક 
  2. નૂતન પ્રકાશન બુક 

1 Feb 2026

ગુજરાતની પોસ્ટઓફિસમાં ભરતી 2026 | Post Office Bharti 2026

ગુજરાતની પોસ્ટઓફિસમાં ભરતી 2026  | Post Office Bharti 2026
પોસ્ટ વિભાગની આ ભરતીમાં કોઇ પણ પરીક્ષા કે ઈન્ટરવ્યૂ વગર ફક્ત ૧૦ માં ધોરણની ટકાવારી ઉપર સીધી ભરતી થાય છે, બીજું કે કાયમી સરકારી નોકરી છે. દસમા ધોરણમાં જેને સારી ટકાવારી છે એના માટે આ બેસ્ટ ચાન્સ છે. 
ફોર્મ ભરવાની તારીખ : 31-1-2026 થી 14-2-2026 

25 Jan 2026

TET 2 SAMAJIK VIGYAN Book

TET 2 SAMAJIK VIGYAN Book
નજીકના સમયમાં પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 થી 8 માં શિક્ષક ભરતી માટેની TET 2  પરીક્ષા આવી રહી છે, ત્યારે એમાં પરીક્ષાની તૈયારી માટેની બુક્સ તમે ઘર બેઠા ઓનલાઈન મંગાવી શકો છો.કારણ કે ઘણા બુક સ્ટોરમાં અમુક પ્રકાશનની બુક ન મળતી હોવાનું સંભળાય છે ત્યારે આ મેસેજ ઉપયોગી બનશે..
  • તમારા પૈસાની સંપૂર્ણ જવાબદારી / 
  • કોઈ કુરિયર ચાર્જ નથી,
  • ચારથી પાંચ દિવસમાં બુક આપને મળી જશે. ,ન મળે તો મારો સંપર્ક કરી શકો છો .
  • Email- pgondaliya1982@gmail.com
નીચે આપેલ લિંક પરથી ઓર્ડર કરો . 

13 Jan 2026

કેળવણી નિરીક્ષક વર્ગ 3 (પ્રાથમિક ) ભરતી જાહેરાત

કેળવણી નિરીક્ષક વર્ગ 3 (પ્રાથમિક ) ભરતી જાહેરાત
સરકારી પ્રાથમિક શાળાઓ માટે કેળવણી નિરીક્ષક વર્ગ 3 માં સીધી ભરતીની  જાહેરાત આવી ગઈ છે, તમામ માહિતી સાથેનું ઓફિસિયલ નોટિફિકેશન અહી નીચે આપેલ છે .
તમારા પૈસાની પૂરી જવાબદારી - બુક ઓર્ડર કર્યા પછી 5 દિવસમાં ના મળે તો મને ઈમેલથી જણાવજો 
pgondaliya1982@gmail.com

28 Dec 2025

આનંદદાયી શનિવાર અંતર્ગત પ્રોજેક્ટ નમૂનો

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં આનંદદાયી શનિવાર અંતર્ગત યોજાનાર પ્રવૃત્તિઓમાં આનંદદાયક અનુભવો પુરા પાડવાના હેતુથી ધોરણ 3 થી 5 અને 6  થી 8 માં વિવિધ પ્રોજેક્ટ કાર્ય કરાવી શકાય. પ્રોજેક્ટ અંતર્ગત બાળકોએ સાથે મળીને વિચારવું પડે ,કશુક નક્કી કરવું પડે, માહિતી એકત્ર કરવાનું , કરેલા કામની નોંધ રાખવી પડે અને પોતાના કામની અસરકારક રજૂઆત કરવી પડે છે. આ પ્રોજેક્ટ કેવી રીતે કરી શકાય ?કયા કયા સોપાનો છે ? એની માહિતી માટે નમૂના રૂપ પ્રોજેક્ટ અહીંયા આપેલ છે.