કાઠિયાવાડના અગ્રણી રાજ્યોમાંનું એક રાજ્ય નવાનગર
ઉર્ફે જામનગર છે. કચ્છની
ધરા પર ચાર વર્ષ રાજગાદી ભોગવીને જામરાવળજી (સં. ૧૫૬૧થી ૧૬૧૮) એ સૌરાષ્ટ્રમાં
આવી જામખંભાળિયામાં ગાદી સ્થાપી અને થોડા વર્ષો પછી નવાનગરની સ્થાપના
કરી.જામે નગર વસાવ્યું હોવાથી પાછળથી જામનગર તરીકે
પ્રસિદ્ધિ પામ્યું. તળાવ-સરોવરના સંદર્ભે ગુજરાતના નગરોની એક આગવી ઓળખ છે, અમદાવાદનું કાંકરિયા.
ભૂજનું હમીરસર, વડોદરાનું
સુરસાગર, ભાવનગરનું
ગૌરીશંકર સરોવરની જેમ
રણમલ તળાવ જામનગરની ઓળખ જ નહીં, પણ આન, બાન
અને શાન બની રહ્યું છે.