6 Jan 2014

કન્યા કેળવણી નિધિ



કન્યા કેળવણી નિધિ 



વિદ્યાર્થિનીઓને નિયત કરેલા અરજીપત્રકમાં યોજનાવાર દર્શાવેલા જરૂરી આધારો સાથે,  
સંબંધિત હાલની સંસ્થાના વડાના સહી-સિક્કા કરાવી સંપૂર્ણ વિગતો ભરીને નીચે જણાવેલ 
કચેરીના સરનામે મોડામાં મોડી તા. ૧૫/૦૧/૨૦૧૪ સુધીમાં મળે તે રીતે રજીસ્ટર્ડ  
પોસ્ટથી મોકલી આપવાની રહેશે. નિયત સમયમર્યાદા બહાર આવેલી અરજીઓ ધ્યાને લેવાશે નહી.
કન્યાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે
ગુજરાત સરકાર દ્વારા માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા કન્યા-કેળવણી નિધિ નામનું અલગ ફંડ ઊભું કરવામાં આવ્યું છે. આ કન્યા-કેળવણી નિધિમાં દાતાઓ અને સંસ્થાઓ દ્વારા મળતું દાન સ્વીકારવામાં આવે છે. આ કન્યા-કેળવણી નિધિમાં રૂ. ૮૫ કરોડ જેટલી રકમ એકત્રિત થયેલ છે. આ નિધિમાં મળેલ દાનને ૮૦(જી)(૫) નીચે ઈન્કમટેક્સમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. માન.મુખ્યમંત્રીશ્રીને દાન સ્વરૂપે અથવા સન્માન પ્રસંગે મળેલ ભેટ-સોગાદોની હરાજીમાંથી મળેલ રકમ પણ કન્યા-કેળવણી નિધિમાં જમા થાય છે. આ માન.મુખ્યમંત્રીશ્રી કન્યા-કેળવણી નિધિમાંથી ખર્ચ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકેલ છે. વર્ષઃ ૨૦૦૫ -૦૬ થી અત્યાર સુધીમાં ૫૧૦૧૨ લાભાર્થી કન્યાઓને ૨૧.૪૦ કરોડની સહાય વિવિધ યોજનામાં આપવામાં આવી છે.

 


Share This
Previous Post
Next Post