મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ગામમાં થયો હતો. તેમના પિતાજી એક શિક્ષક હતા અને
તેઓ શિષ્ટાચાર
પ્રિય હતા. ભારત દેશના
સ્વાતંત્ર્ય સેનાની અને ચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા.તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના
સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.આજે પણ માત્ર બે રૂપિયા અને ૨૦ પૈસામાં ખાંડ
આપનાર વડાપ્રધાન તરીકે લોકો મોરારજી
દેસાઈ ને યાદ કરે છે. આ ઉપરાંત ચુસ્ત સિદ્ધાંતવાદી, નિયમિતપણે સ્વમૂત્ર તેમજ ફળાહાર જેવા કુદરતી ઉપચાર વડે
તંદુરસ્ત શરીર જાળવનાર તરીકે પણ લોકો
એમને યાદ કરે છે.