27 May 2016

પરીક્ષા એ કોઇ આખરી કસોટી નથી-પ્રેરક લેખ PDF

દરેક વાલીએ અને બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓએ ખાસ વાંચવાલાયક આજનો આ લેખ :  
પરીક્ષા એ કોઇ જીંદગીની આખરી પરીક્ષા નથી કે આખરી કસોટી નથી. પરીક્ષા એ કોઇ સફળ કે નિષ્ફળ વ્યક્તિ તરીકે જાહેર કરનાર ''એગમાર્ક'' નથી.પેપર નબળું જવાથી કે ઓછા માર્કસ આવવાથી કે નાપાસ થવાથી શું જીવનમાં ભૂકંપ આવી જવાનો ? પરીક્ષા એ તો આગળના વર્ષમાં પ્રવેશ મેળવવા માટેનો પ્રયત્ન છે. આગળ એક પગલું ભરવા માટેનું કદમ છે. પરીક્ષા એ તો માત્ર અભ્યાસકિય યાદશક્તિની કસોટી છે ! જીવનની નહી.જીવનની કારકિર્દી માટે તો ઉત્સાહ, ધગશું પરિશ્રમ વિશ્વાસુ પ્રયત્ન સાહસુ દીર્ઘ દ્રષ્ટિ વિચાર અનુભવ. સ્વપ્ન જેવા ગુણો જરૃરી છે. જે ગુણોને પરીક્ષાના પરિણામ સાથે કંઇ લેવા-દેવા નથી !! પરીક્ષામાં તમે સારા માર્કસ સાથે પાસ થયા કે પ્રથમ આવ્યા તો તમોને સારી શાળા કોલજ કે સારી સંસ્થામાં પ્રવેશ મેળવવો સરળ રહેશે. પણ પછી તમારી આ માર્કશીટ જીવન કારકિર્દી કે વ્યક્તિત્વ ખિલવવામાં કે આગવી પ્રતિભા ખિલવામાં બહુ ઉપયોગી થતી નથી. એ માટે તો ઉપર જણાવ્યા એ ગુણો ખિલવવા પડે છે. માર્કસ ભલે ઓછા આવ્યા હોય કે નાપાસ થયા હો પણ જો ઉપર જણાવેલ ગુણો તમારામાં હોય તો તમે કોઇ પણ ક્ષેત્રે સફળ થઇ શકો છો.  
Share This
Previous Post
Next Post