27 Feb 2016

National Science Day - રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ પરિચય

આવતીકાલે -28 Feb.“રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી માટે વિશેષ માહિતી
ભારતના વૈજ્ઞાનિક શ્રી ડૉ.ચંદ્રશેખર વેંકટરામને ઈ.સ.૧૯૨૮માં આ દિવસે પ્રકાશના પરાવર્તનની વિસ્મયકારક ઘટના નિહાળી.વિજ્ઞાનજગતમાં આ ઘટનાનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સમગ્ર એશિયામાંથી ભૌતિકશાસ્ત્રમાં નોબલ પારિતોષિક સૌ પ્રથમ તેમને એનાયત થયું હતું. વિજ્ઞાનની આ સુવર્ણ ઘડીને બિરદાવતાં ૨૮મી ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસતરીકે ઉજવાય છે.૨૮મી ફેબ્રુઆરીએ ડૉ.રામને તેમની નોબેલ પ્રાઈઝ મેળવનારી શોધ રામન ઇફેકટનો આવિષ્કાર કર્યોહતો. પ્રકાશના કિરણો કઈ રીતે કામ કરે છે, તે વિશે તેમણે ઉંડું સંશોધન કર્યુ હતું, જે પાછળથી ભૌતિક વિજ્ઞાન જગતમાં રામન ઇફેકટતરીકે ઓળખવામાં આવે છે.
  •  ડો.સી.વી.રામન પરિચય ગુજરાતીમા વિડ્યો
    C.V.Raman Documentry Video
Share This
Previous Post
Next Post