વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ડિગ્રી ઈજનેરી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પ્રેક્ટિકલના માર્ક ગણવા કે નહીં તે મુદ્દે વિસંગતતા ઉભી થયા બાદ આજરોજ શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું હિત ધ્યાનમાં રાખી પ્રેક્ટિકલના માર્ક ગણવા નિર્ણય કર્યો છે. આ નિર્ણયના પગલે રાજ્યના આશરે અઢાર હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને ઈજનેરી કોલેજમાં પ્રવેશ મળી શકશે.
Share This