6 Apr 2016

પન્નાલાલ પટેલ જીવન પરિચય Video

આજે પન્નાલાલ નાનાલાલ પટેલ પૂણ્યતિથી  (૭ મે ૧૯૧૨ – ૬ એપ્રિલ ૧૯૮૯)
Download this Video 

 ગુજરાતી સાહિત્યકાર હતા. તેમને ૧૯૮૫માં જ્ઞાનપીઠ ઍવોર્ડ વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.પન્નાલાલ પટેલનો જન્મ રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાના માંડલી ગામમાં થયો હતો. તેમણે ઈડરમાં અંગ્રેજી માધ્યમમાં ચાર ધોરણ સુધી
અભ્યાસ કર્યો. નબળી કૌટુંબિક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી તેમણે એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી કરી હતી. ત્યાર બાદ અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી કરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં નોકરી મેળવી પહેલા ઑઈલમેન અને પછી મીટર-રીડીંગ કરનાર તરીકે તેમણે કાર્ય કર્યું. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોષી સાથે તેમનો સંપર્ક થયો અને તેમના પ્રોત્સાહનથી તેમણે સાહિત્યસર્જનનો પ્રારંભ કર્યો. ચાર-પાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક તરીકે કાર્ય કર્યું. ત્યાર બાદ વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથે-સાથે લેખનપ્રવૃત્તિ કરી. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે તેઓ આકર્ષિત થયા. ૧૯૫૮ થી તેમણે અમદાવાદમાં સ્થાયી વસવાટ કર્યો અને લેખનનો મુખ્ય વ્યવસાય અપનાવ્યો. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના તેઓ પ્રમુખ હતા.
૧૯૮૯માં અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી તેઓ અવસાન પામ્યા.૧૯૫૦માં તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો. ૧૯૮૫માં તેમની રચના માનવીની ભવાઈ માટે સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ ઍવોર્ડ તેમને મળ્યો હતો._આજનો દિનમહિમા-માનવપુષ્પોની મહેક-વસંતભાઇ તેરૈયા
Share This
Previous Post
Next Post